Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરામાં ઉત્તરાયણ ટાણે પતંગ બજારમાં મંદીનો માહોલ, સારી ઘરાકીની આશા રાખતા વેપારીઓ.

Share

ઉત્તરાયણ પર્વને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત તાલૂકાઓમાં ઠેરઠેર પતંગોના સ્ટોલો ખુલી ગયા છે. પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે

પંચમહાલ જીલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારમાં અવનવી પંતગોનુ વેચાણ થઈ રહ્યુ છે. જેમા જો બકા કોરોનાથી ડરવું નહીં, સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરવું, દુનિયા કા સબસે બડા મુક્ત ટીકાકરણ અભિયાન વગેરે જેવી અવનવી ડિઝાઇનવાળી પતંગો માર્કેટમાં જોવા મળી હતી. આ ઉપરાંત સો રૂપિયાથી માંડીને પાચસો રૂપિયા સુધીના તૈયાર ફીરકા મળી રહ્યા છે. હાલ પતંગ રસિયાઓ મોટા ભાગે દોરો સૂતાવાનુ વધુ પસંદ કરી રહ્યા છે. પતંગના વેપારીઓ દોરો સૂતાવા માટે પણ સ્ટોલો ખોલી દીધા છે. સાથે પતંગ, દોરા, ફીરકી સહિતનુ વેચાણ થઈ રહ્યુ છે પણ ઉત્તરાયણના પર્વને મંદીનુ ગ્રહણ લાગ્યુ છે. બજારમાં ઘરાકી ઓછી જોવા મળતા વર્ષોથી પતંગ-દોરાનો વેપાર કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓનુ કહેવુ છે આ વખતે પતંગ-દોરામાં પણ વીસ ટકાનો ભાવ વધારો થયો છે. વધુમાં આ વર્ષે બજારમાં ગત વર્ષે કરતા ઘરાકી ઓછી જોવા મળતા મંદીનો માહોલ છે. ઉત્તરાયણના ચાર-પાંચ દિવસ પહેલા જેટલી ઘરાકી ગત વર્ષ જોવા મળી હતી.તેટલી ઘરાકી આ વર્ષ જોવા મળી નથી. વેપારીઓ  ઉત્તરાયણ પહેલા સારી ઘરાકી થાય તેવી આશા રાખી રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપભાઈએ વાવાઝોડાને પગલે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વિજપુરવઠો ન મળતા જી.ઈ.બી. ને પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!