Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, મંહતસ્વામી અને અન્ય સંતો દ્વારા દિક્ષા અપાશે

Share

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન શુક્રવારે દિક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ૪૬ યુવકોને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દિક્ષા આપવામાં આવશે. આ પ્રસંગે યુવકોના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહેશે. દિક્ષા ગ્રહણ કરનાર યુવકો અમેરિકા, આફ્રિકા અને ભારતના છે અને તમામ ઉચ્ચ અભ્યાસની ડીગ્રી ધરાવે છે.

અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ ૪૬ યુવકો દિક્ષા લેશે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારે દિક્ષા દિવસની ઉજવણી થશે. જેમાં અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ ૪૬ યુવકો દિક્ષા લેશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના નારાયણ સભાગૃહમાં આ પ્રસંગની ઉજવણી થશે. જેમાં મંહત સ્વામી તેમજ બીએપીએસના વડીલ સંતો વિશેષ ઉપસ્થિત રહેશે.

Advertisement

યુવકોની દિક્ષા પ્રસંગે તેમના પરિવારજનો અને સ્નેહીજનો સહિતના હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે. ખુબ સારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડથી આવતા યુવાનો પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીએ દિક્ષા ગ્રહણ કરીને ખુબ ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં રોજ ભાવી ભક્તો મુલાકાત લઈ રહ્યા છે. અહીં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


Share

Related posts

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષનાં નિશ્ચિત સ્થાપનાનાં સ્થળે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા અંગેનું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

ProudOfGujarat

ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!