Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

Share

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના શાસ્ત્રી બ્રિજને લઈને તંત્ર સફાળું જાગ્યું છે અને હવે કોઈ આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

શહેરમાં આવેલા શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હોવા છંતા પણ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હતું અને અવારનાવાર અનેક રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર પગલા લેવામા આવતા ન હતા ત્યારે હવે તંત્રએ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જ્યારે નાના વાહનો જ અવરજવર કરી શક્શે. અને હવે આ બ્રિજને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રિપેરિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે બ્રિજ પર આઠ ફૂટની એક એંગલ લગાવી દેવામાં આવી છે જેથી માત્ર ટૂ વ્હીલર અને રીક્ષા અને નાની ગાડીઓ જ પસાર થઈ શક્શે. ભારે વાહનો માટે હવે વાસણા એપીએમસીથી લઈને આંબેડકર બ્રિજ પરથી ડાઈવર્ઝન આપવામાં આવ્યુ છે.

Advertisement

શહેરમાં આવેલો શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થયો છે તેમજ આ બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. વિશાલાથી ગ્યાસપુરને જોડતા આ બ્રિજમાં દરરોજ લાખો વાહનો પસાર થાય છે અને જ્યારે મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી મારે છે. આ અંગેની તંત્રને ખબર હોવા છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બ્રિજને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજનો વિશાલા ત્રણ રસ્તાથી નારોલ તરફનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ ટ્રાફિક પોલીસના જવાનો ભારે વાહનોને બ્રિજ પર જતા અટકાવવા માટે ખડેપગે રખાયા છે.


Share

Related posts

સુરતનાં ભાટિયા ટોલનાકા નજીક શહેરનાં ડોકટરના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 2 હજાર રૂપિયા કપાઈ જતા હિસાબ મેળવવાના નામે ઝીરો કામગીરી.

ProudOfGujarat

ભરૂચની શ્રેયસ હાઇસ્કુલની દિવાલ ધરાસાઈ થતા તંત્ર દ્વારા સ્કુલ સીલ કરાઇ.

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨ મો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!