Proud of Gujarat
FeaturedGujaratINDIA

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તા.૧૮ એપ્રિલના રોજ તેરમો પાટોત્સવ યોજાશે.

Share

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તા.૧૮.૦૪.૨૦૨૨ ને સોમવારના રોજ માં ચેહરનો ૧૩ મો પાટોત્સવ યોજાશે એમ ચેહરધામ ખંભોળજના ભુવાજી નાગજીભાઈ રબારીએ જણાવ્યું છે.

માતાજીના તેરમા પાટોત્સવ નિમિત્તે સવારે ૯.૦૦ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે ૫.૦૦ કલાકે શ્રીફળ હોમ કરાશે જ્યારે સાંજના ૬.૩૦ કલાકે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક અવસરે રાત્રે ૯.૦૦ કલાકે જીજ્ઞાસા રબારી, દિવ્યા ઠાકોર, ઉમેશ બારોટ જેવા સુપ્રસિદ્ધ ગાયકોની ઉપસ્થિતિમાં લોકડાયરો યોજાશે.

આ અવસરે દૂધરેજ વડવાળા મંદિરના પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ, ડાકોરના ૧૦૮ સરસ્વતી દાસ બાપુ, પેટલી મંદિરના નિર્મલ દાસ બાપુ, કાસવાના ભુવાજી રાજા ભગત, વિરોચનનગરના ભુવાજી કનુભાઈ, ભુવાજી બચુભાઈ રબારી, કમલીવાડા વિક્રમભાઈ રબારી સહિત સંતો, મહંતો, ભુવાજીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો,મુકેશભાઈ ભરવાડ અને માઈ ભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માતાજીના ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારીએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આખરે મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

માંગરોલ ના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં માંગરોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!