Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર માં એકમાત્ર એવુ મહાદેવનું મંદિર છે જ્યા રાતના બાર વાગ્યાના સમયે આરતી કરવામાં આવે છે.જાણો વધુ…

Share

વિનોદભાઇ પટેલ

ભરૂચ જિલ્લામાં ઘણા એવા મંદિરો છે જ્યાં ભગવાનની પૂજા પ્રાર્થના કરવામાં આવે છે રાબેતા મુજબ બધા જ મંદિરોમાં સવારે અને સાંજે લોકો મંદિર જતા હોય છે અને પૂજા-પાઠ કરતા હોય છે. પરંતુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકા વિસ્તારમાં એકમાત્ર એવું મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં મંદિરના પૂજારી રોજ રાત્રીના બાર વાગ્યાના સમયે મહાદેવની આરતી કરે છે. પાછલા કેટલાય સમયથી અંકલેશ્વરમાં ચૌટા બજાર વિસ્તાર પાસે આવેલ એકલિંગનાથ મહાદેવના મંદિરે રાત્રિના સમયે પૂજા પ્રાર્થના કરવામાં આવે છે અને દર સોમવારે ભજન કરી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. મંદિરના મહારાજના જણાવ્યા મુજબ આ એકલિંગનાથ મહાદેવનું મંદિર પાછલા કેટલાક વર્ષોથી અહીંયા સ્થાપિત છે અને કેટલાય વર્ષોથી લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે અને કેટલાક એવા ગરીબ વ્યક્તિઓ રાત્રિના સમયે ગુજારો કરતા હોય છે.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લામાં ફૂડ & ડ્રગ વિભાગની કેચેરીના અભાવે ખાણી પીણીના વેપારીઓને ઘી કેળા!

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ગૌરીવ્રત નિમિત્તે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી વધુ 22 નોંધાતા કુલ આંકડો 1939 થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!