Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: એશીયન પેઇંન્ટ ચોકડી વિસ્તારની ચાલમાં આઘેડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી!

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલ એશીયન પેઇન્ટ ચોકડી નજીક એક ફેબ્રિકેશન કંમ્પાઉન્ડની ચાલમાં ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલવાની ઘટના બનવા પામી હતી.

Advertisement

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એશીયન પેઇન્ટ ચોક્ડી નજીક સાત પાણીની ટાંકીની સામે આવેલ ગેરજની બાજુની ઓમ ફેબ્રીકેશન કંમ્પાઉન્ડમાં આવેલ ચાલમાં રહેતા એક ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે અચાનક કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો ટોળે વળ્યા હતા. ઘટનાની જાણ જી.આઇ.ડી.સી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આધેડની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ખસેડી આ આધેડે કયા કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી તે કારણ મેળવવા સહીતની કાર્યવાહી આરંભી હતી.


Share

Related posts

ભાવનગરના કવા પરિવારને કોસંબા નજીક અકસ્માત

ProudOfGujarat

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળમાં સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીના વિરોધમાં બી.ટી.પી.નું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!