Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર તાલુકાના દીવા ગામના પરીવાની દક્ષિણ આફ્રિકામાં કરાયેલ નીર્મમ હત્યા અંગે રાજયસભા સાંસદ અહમદભાઇ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને રજુઆત કરી છે.

Share

 

હાલમાંજ મુળ અંક્લેશ્વરના જુના દીવા ગામના અને વર્ષોર્થી દક્ષીણ આફ્રિકમાં સ્થાયી  થયેલા માંજરા પરિવાના સભ્યોને સ્થાનિક નિગ્રો લોકોએ લુટના ઇરાદે કરપીણ રીતે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. આ બાબતે રાજયસભા સાસંદ અહમદભાઇ પટેલે વિદેશમંત્રી સુષમા સ્વરાજ ને આ અંગે ઘનિષ્થ તપાસ થાય અને દોષિતોને આફ્રિકન સરકાર સમક્ષ કડક રીતે મુદ્દો ઉથાવી એના પર અંકુશ લાવવા માતે પણ અહમદભાઈ પટેલે રજુઆત કરે છે. વધુમા તેમણે કેંદ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સમક્ષ આફ્રિકાની હાલની પરિસ્થીતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આફ્રિકામા હાલ અશાંતીઅને અરાજકતાનો મહોલ છે. ઠેર-ઠેર લડાઈઓ થઈ રહી છે. ભરૂચ જિલ્લા અને ગુજરાત ના સેંકડો પરિવારો આફ્રિકામા ભયના અધાર હેઠળ જીવી રહ્યા છે. અને ગુજરાતમા વસતા તેમના સગા સંબધીઓ સાથે કેટલાયનો સંપર્ક પણ થઈ શકતો નથી. જેથી અહીના પરીવારજનો પણ ભારે ચિંતામા છે અને સુરક્ષિત વાતાવરણમા પોતાના સ્નેહીજનો હોય એવી પ્રાથના કરી રહ્યા  છે. અહમદભાઈ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આફ્રિકામા ફસાયલા તમામ ભારતીયોને સુરક્ષાનુ વાતાવરણ મળે અને તેઓના જાન-માલ નુ રક્ષણ આફ્રિકાન સરકાર પોતાના તમામ પ્રય્તનોથી કરે એ માટે ઘટતા પગલા લેવાની પણ રજુઆત કરી છે. વધુમા તેમણે જણાવ્યુ છે કે આફ્રિકામા વસતા તમામ ભારતીયોની સુરક્ષા અંગે વિદેશ-મંત્રાલય ઉચ્ચકક્ષાએ રજુઆત કરી તમામ ભારતીઓ સુરક્ષા માટે જરૂરી પગલા લેવા એમણે જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગની દ્રષ્ટિ વસાવાની ઊંચી ઉડાન, ઓલમ્પિક 2026 માં આઈસ ગર્લ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ProudOfGujarat

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!