Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ઉમલ્લા બજારની રેલ્વેફાટકાનો રસ્તો બિસ્માર થતા હાલાકી

Share

ભરૂચ જીલ્લાના ઉમલ્લા નગરમાંથી અંકલેશ્વર રાજપીપળા ની બ્રોડગેજ રેલ્વે લાઈન પસાર થાય છે. છેલ્લા ચાર વર્ષ થી માત્ર એક ટાઈમ ટ્રેનની અવાર જવર થઇ રહી છે.

ઝઘડિયા તાલુકાના વેપારી મથક ઉમલ્લા ગામના મુખ્ય બજારમાંથી રેલ્વે લાઈન પસાર થાય છે. રેલ્વે ફાટક ઉપરથી પસાર થતા રસ્તાની કામગીરી નક્કર નહિ થતા રસ્તો ઉબડ ખાબડ અવસ્થામાં હોવાથી ત્યાંથી પસાર થતા અસંખ્ય વાહનો, રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે.

Advertisement

ઉમલ્લા બસ સ્ટેન્ડ થી અસા, પાણોથા, વેલગામ, અછાલિયા, જાન્બોઈ પંથકના ૩૦ જેટલા ગામોની જનતા બાગાવતી ખેતી ઉપર નિર્ભર હોઈ માલ વહન કરવું કઠિન બન્યું છે. ફાટકની બંને તરફ વધુ ઊંચાઈ હોવાથી સીધું ચઢાણ વાહનો માટે શિરોવેદના સમાન છે.

ફાટકની ઉપર આર.સી.વર્ક કરેલ હોય રસ્તો તૂટી જવાથી મોટા ખાડા તથા લોખંડના સળીયા ઉપસી પડતા અવાર જવર કરનારાઓ માટે આ રસ્તો સમસ્યારૂપ બન્યો છે. રેલ્વે તંત્ર આ રસ્તાની મરામત કરતુ નથી. ત્યારે ઉમલ્લાના આગેવાનો જીલ્લા કલેકટર સમક્ષ પ્રશ્ન રજુ કરનાર હોવાનું જણાવી રહ્યા છે.


Share

Related posts

MeToo: વિશ્વની 201 શક્તિશાળી પ્રતિભા ફસાઈ છે, 124એ તેમના પદેથી રાજીનામું આપવું પડ્યું

ProudOfGujarat

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરાના ફતેગંજમાંથી પેનડ્રાઈવ અને એરપોડસ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat
error: Content is protected !!