અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક અને અત્યંત ઉત્સવના વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી.

ધ્વજ વંદન કાર્યક્રમમાં જાણીતા કવિ લેખક અને સાહિત્યકાર અઝીઝ ટંકારવી તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મકબુલ અભલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અઝીઝ ટંકારવીએ પોતાના વક્તવ્યમાં યુવાનોને દેશપ્રેમ અને દેશદાઝ હંમેશા હૃદયમાં જીવંત રાખવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ યુવાનોને એમના ભવિષ્ય અંગે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ધ્વજ વંદન કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા તેમજ આચાર્ય શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વતંત્ર દિનની ઉજવણી રંગે ચંગે કરી હતી.
Advertisement
