Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિર રાધા વલ્લભ મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે ગોકુળ અષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણજન્મની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રાધા વલ્લભ મંદિર વર્ષોથી અંકલેશ્વરનું એક પૌરાણિક તીર્થસ્થાન છે જેમાં પ્રતિવર્ષ તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગુરૂવારના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ ઉત્સાહભેર રાધા વલ્લભ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં કેસર સ્નાન થી લઇ તમામ ધાર્મિક વિધિથી ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને રાધા વલ્લભ મંદિરના સંચાલક મનોજ લાલજી ગોસ્વામી એ સુંદર શણગાર કર્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદી તેમજ બાળ કૃષ્ણને ઝુલણે ઝુલાવવાનો લ્હાવો લઈને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લખતર કોવિડ 19 ની ટીમ દ્વારા લખતર ગામ સહિત જુદા જુદા ગામોનાં 15 વ્યક્તિઓનાં સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા.

ProudOfGujarat

કંપની ભડકે બળી – પાલેજ જીઆઈડીસી સ્થિત રૂચિકા મટીરીયલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!