Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

Share

અંકલેશ્વર શહેરમાં રાજપીપળા ચોકડી નજીક પદ્માવતી નગર આવેલ છે જેમાં દિલદારસિહં અને તેમની પત્ની આશા દેવી રહે છે સુખી રહેતા પરિવારમાં દિલદારસિહં ને તેની પત્ની ઉપર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સંબંધ છે આ મામલે દિલદારસિહં એ પત્ની આશા દેવી ને વારંવાર આ સંબંધ અંગે પૂછપરછ કરી હતી બંને વચ્ચે સામાન્ય ઝગડો પણ થતો હતો પરંતુ આજરોજ દિલદાર સિહં એ પત્ની આશા ને માથાના ભાગે માર મારતા તેનું મોત થયું હતું પતિ દિલદારસિહં ભાગી છૂટ્યો હતો આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક આશાદેવી ની લાશ ને લઈને પી એમ અર્થે મોકલી આપી હતી આ બનાવ સંદર્ભે પતિ દિલદારસિહં સામે હત્યા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને પતિની ધરપકડના ચક્રો ગતિમાન જીઆઇડીસી પોલીસે કર્યા છે આ બનાવ સંદર્ભે આજે અંકલેશ્વર ના ઈન્ચાર્જ ડીવાયએસપી ભોજાણી એ આ સમગ્ર હત્યા અંગેની વિગતો આપી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કાંકરી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકામાંથી યુવક-યુવતીઓ નોકરીની આશાએ ઉમટી પડ્યા હતા અને તેમને ખાનગી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા. ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખે વિરોધપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનુગા ઉપર નોંધાવી પોલીસ ફરિયાદ…..

ProudOfGujarat

ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જાઓ : પેટ્રોલ બાદ CNG માં ભડકો : જાણો ભરૂચમાં શું છે ભાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!