Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

Share

અંકલેશ્વર શહેરમાં રાજપીપળા ચોકડી નજીક પદ્માવતી નગર આવેલ છે જેમાં દિલદારસિહં અને તેમની પત્ની આશા દેવી રહે છે સુખી રહેતા પરિવારમાં દિલદારસિહં ને તેની પત્ની ઉપર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સંબંધ છે આ મામલે દિલદારસિહં એ પત્ની આશા દેવી ને વારંવાર આ સંબંધ અંગે પૂછપરછ કરી હતી બંને વચ્ચે સામાન્ય ઝગડો પણ થતો હતો પરંતુ આજરોજ દિલદાર સિહં એ પત્ની આશા ને માથાના ભાગે માર મારતા તેનું મોત થયું હતું પતિ દિલદારસિહં ભાગી છૂટ્યો હતો આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક આશાદેવી ની લાશ ને લઈને પી એમ અર્થે મોકલી આપી હતી આ બનાવ સંદર્ભે પતિ દિલદારસિહં સામે હત્યા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને પતિની ધરપકડના ચક્રો ગતિમાન જીઆઇડીસી પોલીસે કર્યા છે આ બનાવ સંદર્ભે આજે અંકલેશ્વર ના ઈન્ચાર્જ ડીવાયએસપી ભોજાણી એ આ સમગ્ર હત્યા અંગેની વિગતો આપી હતી.

Advertisement

Share

Related posts

પત્રકાર પણ એક કોરોના વોરિયર : ભરૂચ જિલ્લાના પત્રકારો માટે કોરોના સામે લડવા આજરોજ તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!