Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની ફરિયાદ થઈ છે.

Share

અંકલેશ્વરની દેના બેંક દ્વારા ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની રાવ ઉઠી છે. દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ કરાયા બાદ ચાર્જ કાપવાની શરૂઆત થતા ગ્રાહકોમાં આક્રોશ ફેલાયો હતો. બેંકના મેનેજરને આ બાબતે ફરિયાદ કરાય હતી. 
અંકલેશ્વર દેના બેંકનું હાલમાં બેંક ઓફ બરોડામાં મર્જીકરણ કરવામાં આવ્યું છે. જે બાદ દેના બેંકના ખાતેદારોમાંથી અચાનક પોલિયો ચાર્જ, કેશ કાઉંટીંગ ચાર્જ, કેશ હેન્ડલીગ ચાર્જ જેવા વિવિધ ચાર્જ ગ્રાહકોને જાણ કરવા સિવાય બારોબર કાપવામાં આવી રહ્યાં હતા. જે અંગે શહેરના જાગૃત નાગરિક દ્વારા બેંક સામે ફરિયાદ કરી બેંક મેનેજરને રજુઆત કરી હતી. અને બેંક દ્વારા કાપવામાં આવેલ ચાર્જ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અન્ય ગ્રાહકોએ પણ આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર ધટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક ભરૂચનાં ગોલ્ડન બ્રિજ ખાતેથી લકઝુરિયર્સ કારમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!