Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં UCC નાં વિરોધ સાથે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

Share

સમાન સિવિલ કોડના વિરોધમાં ભિલોડા મામલતદાર કચેરીએ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજના ભાઈઓ -બહેનો તેમજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમાજના તમામ સંગઠનો દ્વારા યુનિફોર્મ સિવિલકોડ (UCC) સમાન નાગરીક સંહિતાનો કાયદો અગર બનશે તો ભારતમાં સમાન નાગરીક સંહિતાનો સમાજને ભારતીય બંધારણ પ્રમાણે રૂઢિગત, પરંપરાગત, રીતરિવાજોનું અધિકારોનું નુકસાન થાય તેવું લાગી રહયું છે. તો સમાન સિવિલ કોડ કાયદો લાગું ન થાય તેવી સરકારને માંગણી કરવામાં આવી.

ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્રનો લાભ લેતા હોય તેવા લોકોને બહાર કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને ડર છે કે, જો સમાન સિવિલ કોડ એટલે કે, યુસીસી આવે તો તેમના રીત-રિવાજો, રૂઢીઓ, પરંપરાઓ વગેરે દૂર થઈ શકે છે, તેમને મળતા લાભ અને હક પણ નાબૂદ થઈ શકે એમ છે, જેને લઇને આદિવાસી સમાજ દ્વારા યુસીસીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ફરીથી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ એ ફી કોમ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ રીક્ષા ઝડપી પાડી હતી. 

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં કાંકરીયા ગામે બાળકો અને મહિલાઓને થતી હેરાનગતિ : એક મહિલાનો વિડીયો થયો વાયરલ…

ProudOfGujarat

આરોગ્યમંત્રી નિમિષાબેન સુથારે ગોધરાનાં જીબીએસ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!