Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં UCC નાં વિરોધ સાથે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

Share

સમાન સિવિલ કોડના વિરોધમાં ભિલોડા મામલતદાર કચેરીએ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજના ભાઈઓ -બહેનો તેમજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમાજના તમામ સંગઠનો દ્વારા યુનિફોર્મ સિવિલકોડ (UCC) સમાન નાગરીક સંહિતાનો કાયદો અગર બનશે તો ભારતમાં સમાન નાગરીક સંહિતાનો સમાજને ભારતીય બંધારણ પ્રમાણે રૂઢિગત, પરંપરાગત, રીતરિવાજોનું અધિકારોનું નુકસાન થાય તેવું લાગી રહયું છે. તો સમાન સિવિલ કોડ કાયદો લાગું ન થાય તેવી સરકારને માંગણી કરવામાં આવી.

ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્રનો લાભ લેતા હોય તેવા લોકોને બહાર કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને ડર છે કે, જો સમાન સિવિલ કોડ એટલે કે, યુસીસી આવે તો તેમના રીત-રિવાજો, રૂઢીઓ, પરંપરાઓ વગેરે દૂર થઈ શકે છે, તેમને મળતા લાભ અને હક પણ નાબૂદ થઈ શકે એમ છે, જેને લઇને આદિવાસી સમાજ દ્વારા યુસીસીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ફરીથી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ.

Advertisement

Share

Related posts

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વિજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે DGVCL કંપનીની ૪૦ ટીમોના ૪૦૦ વીજ કર્મીઓ હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના.

ProudOfGujarat

ઝગડીયા ઔદ્યોગિક વસાહતનું એફલુએન્ટને દરિયા સુધી લઈ જતી પાઇપનું હાંસોટ ખાતેના એક ખેતરમાં લીકેજ થતા ખેડૂતને થયેલ નુકસાન…

ProudOfGujarat

માંગરોળ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નોનાં નિરાકરણની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!