Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રાંત કચેરીના શિરસ્તેદારની જગ્યા પર યોગ્ય મહેસૂલનું જ્ઞાન ધરાવતા અધિકારીને મૂકવા માંગ.

Share

અંકલેશ્વર પ્રાંત કચેરીમાં શિરસ્તેદારના હોદ્દા પર મહેસૂલ અંગેની કામગીરી અધૂરા જ્ઞાનના કારણે થતી હોવાની બૂમ ઉઠવા પામી છે. પ્રાંત કચેરીમાં આવતા ખેડૂતોના મહત્વના કામોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા ખોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રો ઓનલાઈન એપ્લિકેશનથી પ્રાંત કચેરીએથી મેળવવાના હોય છે અને ખેડૂતોને સુગમતાથી દાખલો મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારીઓની કામ કરવાની અનિચ્છા અથવા મહેસૂલનું અપૂરતું જ્ઞાન જવાબદાર હોવાનું અરજદારએ કલેકટરને કરેલ અરજીમાં જણાવ્યુ છે. ખેડૂતો જે અરજી કરે છે તેની પણ ફી વ્યર્થ જાય છે. આમ અંકલેશ્વર કચેરીના શિરસ્તેદાર દ્વારા ખેડૂતોને હેરાનગતિ કરતી હોય અને ખેડૂત ખરાઈની અરજી થાય ત્યારે સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરી એક જ વખત નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોના નાણાનો વ્યય થતો અટકી શકે છે. અંકલેશ્વર પ્રાંત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ શિરસ્તેદાર કામ કરતાં હોય આ જગ્યા મહત્વની હોય તો આવી જગ્યા પર મહેસૂલી યોગ્યા જ્ઞાન ધરાવતા અધિકારીની નિમણૂક થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પટેલ વેલ્ફર હોસ્પિટલમાં લાગેલ આગનો મુદ્દો ફરી હાઇકોર્ટમાં ગુંજયો, ફાયર NOC નાં મામલે થયેલ PIL મુદ્દે ભરૂચ નગરપાલિકાને હાઇકોર્ટમાં જવાબો લેવા જોડવામાં આવે તેવી શકયતા…!!

ProudOfGujarat

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

ProudOfGujarat

રાજપીપળામાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!