Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચ જિલ્લામાં આકાશ માંથી અગન ગોળા વરસતી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ.બપોરના સમયે સુમસામ થઈ જતા માર્ગો…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધીની ટોચ પર પોહ્ચ્યો હોવાનું હવામાન ખાતેના સૂત્રોએ જણાવ્યું હતું.માર્ચ માસના અંતિમ દિવસોમાં હાલ કાળઝાળ ગરમીનો વર્તારો જણાય રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં ગરમી વધુ વધે તેવી શક્યતા નકારી શકાતી નથી.આવનાર મેં માસ સુધીમાં ગરમીનો પારો સરેરાશ ૪૪ થી ૪૫ ડિગ્રી સુધી નોંધાય તેમ જણાય રહ્યું છે.આવા સમયમાં ગરમીનું મારણ એવા કાંદા અને લીંબુની માંગમાં વધારો થયો છે.એટલું જ નહિ પરંતુ ઠંડાપીણાં અને આઈસક્રીમ જેવી ખાણી-પીણીની વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે.આવી કાળઝાળ ગરમીમાં મુખ્ય માર્ગ સુમસામ ભાસી રહ્યા છે.જયારે જેમને ભર બપોરે બહાર જવાનું થાય ત્યારે તકેદારીના પગલાં રૂપે ગોગલ્સ તેમજ ટોપી અને અન્ય મોજા પેહરી બહાર નીકળી રહ્યા છે.ત્યારે ભરૂચ પંથકમાં ગરમીના પ્રકોપના પગલે પાણીની માંગમાં પણ ધીમેધીમે વધારો થઈ રહ્યો છે.

Advertisement


Share

Related posts

આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપીંગનું બાંધકામ કરનારા માલિકોને નોટીસ ફટકારી,

ProudOfGujarat

અંકલેશ્વર- બળાત્કારનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીના પરિવાર જનોને અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી…

ProudOfGujarat

અંકલેશ્વર- નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!