ઈજાગ્રસ્તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, પાલેજ પોલીસમાં ફરિયાદ
ભરૂચp
Advertisement
ભરૂચ તાલુકાના પારખેત ગામે ટંકારિયા રોડ પર રહેતી જ્યોત્સના ભરત વસાવા તેના ઘરે હતી. તે વેળાં તેનો પતિએ નોકરીએથી ઘરે આવીને તુરંત જ તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે તું કેમ મને વારંવાર ફોન કરે છે તેમ કહી તકરાર કરતાં જયોત્સનાએ જણાવ્યું હતું કે, તેની માતા અને બહેન કરજણ ખાતે કપડાં લેવા માટે જવાના હતાં અને તેને પણ કપડાં મંગાવવાના હતાં જેથી તેણે ફોન કર્યો હતો. જોકે, તેના પતિ ભરતે તેને અપશબ્દો ઉચ્ચારી તેના પર તેને કોઈ સાથે આડો સંબંધ હોવાનો ખોટો શક રાખી તેની સાથે ઝઘડો કરી તેને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
