Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના બાકરોલ ગામ પાસે કચરાના ઢગલામાં આગ : લાશ્કરોએ દોડી આવી કાબૂ મેળવ્યો

Share

અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી

અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ ઘનધોર ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા,જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવાની માહિતી પ્રાપ્ત નથી.આ બનાવની જાણ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

માંગરોળના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28 થઈ હજી સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના.

ProudOfGujarat

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનો દીપ પ્રગટાવી ભઠ્ઠી નો પ્રારંભ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!