સાગબારા તાલુકા ની ખોચરપાડા શાળા માં બાલવાટિકા થી ધોરણ 5 મા કુલ 71 બાળકો અભ્યાસ કરી રહ્યા છે..71 બાળકો વચ્ચે 2 શિક્ષકો ભણાવી રહ્યા છે. જેમા હાલ મા યોજાયેલી CET ની પરીક્ષા મા જ્વલંત સફળતા મેળવી શાળા નું નામ રોશન કર્યું છે
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી એક લવ્ય મોડેલ રેશિડેનશિયલ સ્કુલ આદર્શ નિવાસી શાળાઓ શૈનિક સ્કુલ આદર્શ નિવાસી શાળાઓમા પાસ થયેલા બાળકો ને ધોરણ 6 થી 12 સુધી વિના મૂલ્યે અભ્યાસ કરીને પોતાના ઉજવલ ભવિષ્ય બનાવવા ની તક મળી છે .
શાળા ના મુખ્ય શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નમૅદા જિલ્લા ના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ વસાવા અને શિક્ષિકા બેન શ્રી મતી પ્રેમિલા બેન વસાવા અને શાળા ની એસએમએસી સમિતિ ના અધ્યક્ષ શ્રી અનવરભાઈ વસાવા. અમરસિંગ વસાવા સમિતિ ના તમામ સભ્યો શ્રી ઓ એ બાળોકો ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને આશિર્વાદ આપ્યા
સાગબારા તાલુકાની ખોચરપાડા શાળાના 8 બાળકો CET ની પરીક્ષામાં બાજી મારી શાળાનું નામ રોશન કર્યું
Advertisement
