Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઔધોગિક કામદાર કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં ફરજ પર ન આવી શકે તો પણ કપાત કર્યા વગર પગાર ચૂકવવા બાબતે કોંગ્રેસ દ્વારા કરાઇ રજુઆત,જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લામાં ખાનગી તેમજ સરકારી હજારો ઉદ્યોગો આવેલા છે,કર્મચારીઓ તથા કામદારો થકી આ ઉદ્યોગો સારો એવો નફો કરે છે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેના કારણે લોક ડાઉનની સ્થિતિમાં અનેક કર્મચારીઓ કામ ઉપર જઇ શક્યા નથી. જેના કારણે કંપની સંચાલકો અધિકારીઓ સાથે મિલી ભગત કરી સરકારના નીતિ નિયમોને ધોળીને પી જઈ કર્મચારીઓમાં ૫% થી ૨૫% નો કાપ મૂકી દીધેલ છે જેના કારણે કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓએ લેબર કમિશનર સમક્ષ રજૂઆત કરી લોક ડાઉન પહેલાનાં બે માસનાં પગારની સરખામણીએ પગાર ચૂકવવવામાં આવે છે કે નહીં તે બાબતની તપાસ કરવા સાથે જો મામલે કોઇ ઢીલાશ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ગુજરાત સરકારે નર્મદા કેનાલ આધારિત ખેડૂતોને સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

વડોદરાની શી ટીમની પોલીસે આપઘાત કરવા ગયેલ પરિણીતાને બચાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!