Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 18 કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા 294 પર પહોંચી.

Share

ભરૂચ જિલ્લામાં આરોગ્યની દુનિયામાં તબાહી મચાવી દીધી છે. તા 4/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં કુલ 18 કેસો નોંધાયા હતા. કોરોનાએ 250 પોઝિટિવનો આંકડો વટાવયા બાદ રફતાર તેજ કરી દીધી હતી ગણતરીનાં બે કે ત્રણ દિવસોમાં કોરોના પોઝિટિવનો આંકડો 294 સુધી પહોંચી ગયો છે આ કોરોનાની તેજ ગતી સામે તંત્રનાં તમામ પગલાં હાલની પરિસ્થિતિએ જોતા નિષ્ફ્ળ નીવડયા છે. જુના ભરૂચનાં વિસ્તારોમાં કેટલાક દિવસો પહેલા કોરોનાનો એક પણ કેસ ન હતો પરતું હવે કોરોના પોઝિટિવ કેસો જુના ભરૂચનાં દાંડિયા બજારથી કતોપોર દરવાજા સુધીના અલગ અલગ વિસ્તારોમાં જણાઈ રહ્યા છે જેમાં ચકલા, મોટા ડભોયાવાડ, મહંમદપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કોરોનાનાં કુલ 18 પોઝિટિવ કેસોનું વિશ્લેષણ જોતા ભરૂચમાં 7, આમોદ તાલુકામાં 2, અંકલેશ્વર તાલુકામાં 1, જંબુસરમાં 4, વાલિયા તાલુકામાં 1 અને હાંસોટ તાલુકામાં 3 કેસોનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા 2024 ની ચૂંટણીમાં દાવેદારી કરવા રસપ્રદ જંગ જામ્યો, I.N.D. I. A, ગઠબંધનમાંથી ચૂંટણી લડવા દાવેદારી વધી..?

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમા 19 સે.મી.નો વધારો નોંધાયો.

ProudOfGujarat

દેશનું પ્રથમ સૌથી મોટું ડોમેસ્ટિક ક્રૂઝ આજથી શરૂ થશે, મુંબઈથી ગોવા વચ્ચે ચાલશે, એકવારમાં 350 લોકો મુસાફરી કરી શકશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!