Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મંદી અને મોંધવારી એટલે કે નાણાંકીય દુકાળમાં અધિક માસનો પ્રારંભ ભરૂચ જીલ્લા માટે કારમો સાબિત થશે જાણો કેમ ?

Share

હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં મંદી અને મોંધવારીનું વાતાવરણ જણાય રહ્યું છે. આ મંદી અને મોંધવારીનાં વાતાવરણમાં આ વર્ષે અધિક માસ આવતા ભરૂચ જીલ્લાનાં લોકો એમ કહી રહ્યા છે કે દુકાળમાં અધિક માસ તે આનું નામ એમ કહી શકાય. આ માસ આવવાના પગલે શ્રાદ્ધની અમાસ અને નવરાત્રિ મહોત્સવનાં પ્રારંભ વચ્ચે એક મહિના જેટલું અંતર થઈ ગયું છે. અધિક માસમાં નર્મદા નદીનાં કિનારે દાન પુણ્યનો મહિમા છે પરંતુ કૂવામાં હોય તો હવાડામાં આવે એમ ભરૂચ જીલ્લાનાં લોકો પાસે જો દાન આપવા માટે રોકડા નાણાં કે અનાજ હશે તો તેઓ દાન આપશે પરંતુ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી ઉપરાંત મંદી અને મોંધવારીએ બેવડો માર માર્યો છે તેથી જ ગુજરાતીમાં ચાલી આવતી કહેવત દુકાળમાં અધિક માસ તે સાચી પડતી જણાય છે.

Advertisement

Share

Related posts

આઈ પી એલ ની ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ નો ખેલ રમતા નબીપુર ગામ નો સુલેમાન ઉર્ફે સોલી સહીત બે ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

વાંકલ : માંગરોળ ગામનો છેલ્લા દશ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા મોહનભાઈ કટારિયાએ મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 1357 બુથો અને શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યકમના 100 માં એપિસોડનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!