Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીમાં યુવક પર મગરનાં જીવલેણ હુમલાથી લોકોમાં ભય ફેલાયો.

Share

નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા રાજપારડીના દિનેશ વસાવા નામના યુવાન પર મગરે હુમલો કરી તેને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો આ યુવાનનો અડધો ખાધેલો મૃતદેહ ઘટનાના છેક ત્રીજા દિવસે લિમોદ્રા નજીકના કિનારે મળ્યો હતો. મગર દ્વારા યુવાન પર કરાયેલા આ જીવલેણ હુમલાના કારણે નર્મદા કિનારાના ગામોની જનતા ભયભીત બની છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી નર્મદામાં મગરો વસવાટ કરી રહ્યા છે અને નર્મદામાં મગરો દ્વારા ભુતકાળમાં પણ માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ બની હતી. હાલમાં આ રાજપારડીના ૩૫ વર્ષના દિનેશ વસાવા નામના યુવાન પર મગરે જીવલેણ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો હોવાની વાતો જાણવા મળી છે. ઝઘડીયા તાલુકાના ઘણા ગામો નર્મદા કિનારે વસેલા છે. મગરો દ્વારા માણસો પર કરાતા જીવલેણ હુમલાઓના કારણે કાંઠા વિસ્તારની જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા માટે આજથી નવી નીતિ અમલમાં, માલિક સામે થશે કાર્યવાહી

ProudOfGujarat

એરફોર્સ કોન્વોયની પાયલોટિંગ ફરજ વચ્ચે માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો : ભારતમાલા એક્સપ્રેસવે પર ટ્રક પલટી, ટ્રાફિક પોલીસે ‘ગોલ્ડન ફાઇવ મિનિટ’માં ડ્રાઇવરને બચાવ્યો

ProudOfGujarat

કરજણના બામણગામ બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટ્રકે અડફેટે લેતાં સારવાર દરમિયાન કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!