બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ શહેરનાં ઝાડેશ્વર રોડ પર આઈનોક્ષ સિનેમા નજીક આવેલ SBI બેન્કનાં ATM માં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આસપાસ ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી.
રાત્રીનાં સમયે બનેલ અચાનક ઘટનાના પગલે સ્થાનિકોએ મામલા અંગે તાત્કાલિક ભરૂચ નગરપાલીકાનાં ફાયર વિભાગને જાણ કરતા ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ઘટના અંગે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટનાનું ચોક્ક્સ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, સાથે જ કેટલું નુકશાન થયું છે, એટીએમમાં રહેલ કેશમાં નુકશાની થઇ છે કે કેમ તે અંગે બેંક સત્તાધીશો તરફથી તપાસ કર્યા બાદ જ જાણવા મળે તેમ છે.
Advertisement
