Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં આમોદમાં રખડતા શ્વાનનો આતંક, એક સાથે ચાર બાળકોને કરડતા સારવાર હેઠળ ખસેડાયા.

Share

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે શ્વાનના હુમલામાં એક બાળકે જીવ ગુમાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી તેવામાં વધુ એક ઘટના જિલ્લામાંથી સામે આવી છે, આમોદ નગરનાં મચ્છી માર્કેટ વિસ્તારમાં શ્વાનનો આંતક જોવા મળ્યો છે, જેમાં એક સાથે ચાર બાળકોને શ્વાને હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગરનાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ગતરોજ સાંજનાં સુમારે ચાર બાળકો પર એક શ્વાને હૂમલો કરતા લોકોમાં ભયનાં માહોલ સાથે ભારે ફફડાત વ્યાપી જવા પામ્યો હતો, ઘટનાની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ જવા પામ્યા હતા, અને બાળકોને આમોદ રેફરલ હોસ્પીટલ ખાતે લઈ જઈ પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.

Advertisement

મહ્ત્વની બાબત છે કે જિલ્લામાં શ્વાન કરડવાના રોજના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર મહિને અનેક લોકો શ્વાન કરડવાથી સારવાર લઇ સાજા થતા હોય છે તેવામાં રખડતા શ્વાનના આતંક સામે આ પ્રકારની ગંભીર બનતી સ્થિતિ સામે તંત્રએ પણ કંઇક યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

ProudOfGujarat

અંકલેશ્વર : ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત અમદાવાદ જિલ્લાના કર્મચારીઓએ બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો.અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જ્ઞાનધારા આધારીત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!