Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોવિડ – 19 નાં વધતા સંક્રમણ અટકાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નિર્ણય.

Share

ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણ અટકાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેની જાણ દરેક દુકાનદારોને પેમ્પલેટ આપીને કરી હતી.

ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ભરત પરમારે આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે ભરૂચ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ અને કેસોની સંખ્યામાં ત્રીજા સ્થાને છે આ વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોની સુખાકારી જળવાઇ રહે તે માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં બે દિવસ બંધ અને બે દિવસ કામગીરી ચાલુ રાખવી તેવો તા.30/4/2021 સુધી સ્વૈચ્છિક લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દૂધની ડેરી, મેડિકલ સ્ટોર, બેંક સરકારી કચેરીને છૂટછાટ આપવામાં આવી છે તે સિવાયની તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે.

અહીં નોંધનિય છે કે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં કોવિડ – 19 નાં કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધવા પામ્યા છે તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા આ વખતે કોઈ જ રીતે લોક ડાઉન જાહેર ન કરાતાં સમાજની સંસ્થાઓ, પ્રમુખ મંડળો અને ટીમ પંચાયત દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાળી લોકોને ‘ જાન હૈ તો જહાન છે ‘ નો સંદેશ પાઠવવામાં આવ્યો છે. અહી પણ ઝાડેશ્વર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ બંધ બે દિવસ વ્યવસાય, વેપાર ચાલુ રાખવાની વાત કરાઈ છે.

Advertisement

Share

Related posts

ગોધરા: ખાડી ફળીયા વિસ્તારમાં લોકોએ સ્વંય કોવિડ રસીકરણ કરાવ્યુ

ProudOfGujarat

વધુ પડતા વરસાદને કારણે ખરાબ થયેલા કોસંબા ઝંખવાવ માર્ગ અને ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા કોંગ્રેસનાં અગ્રણી આગેવાનો દ્વારા સરકારી તંત્રને રજુઆત થઈ.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વ પહેલા વડોદરામાં ફુડ ચેકીંગ વિભાગના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!