Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તંત્રનાં આદેશોનું ચુસ્ત પાલન, આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો સહિતનાં ધંધા રોજગાર બંધ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, રોજના પોઝીટિવ કેસોએ જ્યાં એક તરફ હોસ્પિટલો હાઉસફુલ બન્યા છે તો બીજી તરફ પ્રથમ રાત્રી કરફ્યુ અને બાદમાં દિવસ દરમિયાનનાં લડાયેલ તંત્રની ગાઈડલાઈનનાં આદેશોનું છેલ્લા એક સપ્તાહથી શહેરીજનો સહિત જિલ્લાની જનતા પાલન કરી રહી છે.

ભરૂચ શહેરમાં મીની લોકડાઉન જેવી સ્થિતીનું સર્જન છેલ્લા ૧૦ દિવસથી સર્જાયુ છે, જ્યાં મોટા ભાગના ધંધા રોજગાર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, તંત્રની ગાઇડલાઈન મુજબની જ સેવાઓ ભરૂચમાં ચાલુ છે, તે પૈકીના તમામ વ્યવસાય બંધ નજરે પડી રહ્યા છે, જેને લઈ બપોર પડતા જ શહેરમાં સન્નાટો જોવા મળતો હોય છે.

મહત્વની બાબત છે કે કોરોનાનાં વધતા કેસો અને મોતના તાંડવ વચ્ચે ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર લોકો સ્વંયમ હવે આ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરતા નજરે પડી રહ્યા છે, અને આ સંક્રમણમાંથી વહેલી તકે મુક્તિ મળે તેવી દુઆઓ અને પ્રાર્થનાઓ મનોમન કરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો પ્રારંભ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કચેરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકાર ને અપમાનિત કરતા શિરસ્તેદાર એન.આર.પટેલ સામે શિક્ષાત્મક પગલા ભરવા મહેસુસ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત ને લેખિતમાં રજૂઆત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!