Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

Share

ભરૂચ ખાતે તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ” નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું. નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ડ્રોનથી કરી જાસૂસી : વડોદરામાં સવારે 5 વાગ્યે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને ACP કુંપાવતની ટીમે કર્યો ખેલ, બુટલેગરોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

ProudOfGujarat

તારીખ ૦૭/૦૮/૨૦૨૦ નાં આમોદ ૧૦૮ એમ્બુલન્સનાં સ્ટાફ દ્ધારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ સગર્ભા મહિલાને વધુ સારવાર માટે એસ.એસ.જી વડોદરાની હોસ્પિટલમાં લઈ જતાં એમ્બુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!