Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલના સ્વજનોને સહાય કરવા કોવિડ-19 યાત્રા શરૂ કરાઇ.

Share

પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા હાલ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના આપવા માટે કોરોના 19 યાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં દુખી પરિવારોને 4 લાખની સહાય મળે તે માટે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરી સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી છે.

જેમાં હાલમાં ભરૂચ તાલુકામાં જિલ્લા પંચાયત શેરપુરા, નબીપુર, ભાડભૂત, પાલેજ તેમજ અન્ય બેઠકના ગામોનાં ઘરે ઘરે જઈ મુલાકાત લીધી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સલિમભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હબીબ પટેલ, ઇલયાસ પટેલ, ઇમરાન મુન્શી, દાઉદભાઈ હવેલીવાલા, અબ્દુલભાઈ ટેલર, શકીલભાઈ અકુજી તથા જિલ્લા પંચાયત પાલેજ બેઠકના ઉમેદવાર અફઝલભાઈ ઘોડીવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ સલિમભાઈ દૂધવાળા તેમજ તાલુકાનાં અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ ફોર્મ ભરવાની કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 650 જેટલા કોરોનામા મૃત્યુ પામેલાઓના ફોર્મ તાલુકા કોંગ્રેસ સમિતિએ એકત્ર કરેલ છે.

Advertisement

Share

Related posts

બિહારના છપરામાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત, 6 ની હાલત ગંભીર, વધી શકે છે મૃત્યુઆંક.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું

ProudOfGujarat

પાલીતાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે ચુટણી યોજાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!