Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ દાંડિયા બજાર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહો વેટીંગમાં મુકાયા.

Share

વરસાદી વાતાવરણ અને વરસતા વરસાદમાં જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે ભરૂચ પંથકમાં વધુ એક સમસ્યા ઊભી થવા પામી છે. ભરૂચ જિલ્લાના એક માત્ર દાંડિયા બજાર ખાતે આવેલ શાંતિવન સ્મશાન ગૃહ ખાતે આજરોજ અંતિમ સંસ્કાર માટે આવેલ મૃતદેહોને વેઇટિંગમાં મૂકવામાં આવતા આશ્ચર્ય પામ્યું હતું. મૃતદેહો કોરોનાની બીજી લહેર દરમિયાન કલાકોના વેઇટિંગ જોવાં મળતા હતા.

મળતી માહિતી અનુસાર ભરૂચ ખાતે આવેલ શાંતિવન ખાતે એક ચિતાનું અને ગેસ ફરનેશનું સમારકામ ચાલતું હોવાના કારણે મૃતદેહના અંતિમ સંસ્કારમાં લોકોને હાલાકી પડી રહી હતી. જેમ કોરોના કાળમાં મૃતદેહને લઈને કલાકો બેસવું પડતું હતું તેવી જ કંઈક ભીતિ જોવાં મળી હતી. એક સાથે ચાર મૃતદેહના અંતિમ સંસ્કાર થાય તેની જગ્યા પર બે જ ચિતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલાકો સુધી રાહ જોવી પડી રહી હતી. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ મૃતદેહોના વેઇટિંગને કારણે દાંડિયા બજાર ખાતે ભારણ વધતા કુલ 10 પૈકી 2 મૃતદેહોની કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા.

ProudOfGujarat

છોટાઉદેપુર નગરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઇ.

ProudOfGujarat

બહુચરાજી મંદિરના નવનિર્માણ કાર્યને લઈ કેબિનેટની બેઠકમાં નિર્ણય, શિખરની ઉંચાઈ 81 ફૂટ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!