Proud of Gujarat
FeaturedGujaratINDIA

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ તા.૦૭/૧૦/૨૦૨૧ના રોજ થનાર છે.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે યોજાનારા આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. જેમાં કોરોના વોરિયર્સ અને વેકસિનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના કુલ ૧૮ સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : મીની લોકડાઉન બાદ આજે વેપારીઓએ પુન: ધંધા વ્યવસાય શરૂ કર્યા.

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!