Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિરે આહિર સમાજ ના છાત્રોએ અભિષેક કર્યો

Share

આજ રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત આહિર સમાજ ના ધો 10. 11 . અને 12 . ના વિધાથી ઓ માટે પ્રેરણસભા અને અભિષેક વિધિનું આયોજન કરાયું હતું…

ભરૂચ તાલુકા ના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરે ધો 10 . 11 . અને 12 . ના વિધાથી ઓ માટે એક વિશિષ્ટ પ્રેરણસભા અને અભિષેક વિધિનું આયોજન કરાયું હતું બોડ ના વિધાથીઓની પરીક્ષા ભયરહિત બને ઉચિત પરિણામની સિધ્ધિરૂપ બને તેવા શુભ હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં આહિર સમાજ ના છાત્રોએ તેમજ તેમના માતા – પિતાએ ભાગ લીધો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતોએ વિધાથીઓ ને અભિષેક કરાવ્યો હતો == પ્રતિ વર્ષ ની જેમ હાઈએ પર આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે ધો 10 . 11 અને 12 ના છાત્રો માટે પ્રેરણસભા અને અભિષેક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણસભા મા ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિર ના સંતો ઉપસ્થિત રહિ અનુભવપુણ સચોટ માર્ગદર્શન વિધાથીઓ સાથે તેમના માતા – પિતાને આપ્યું હતું. વિધાથી જીવન ની સફળ કારકિર્દી નું પ્રવેશદ્વાર એટલે ધો 10 અને 12 ની પરીક્ષા આ પરીક્ષા ભયરહિત બને તેમજ ઈચિછત પરિણામ ની સિધ્ધિરુપ બને તેવા શુભ હેતુથી યોજાયેલા અભિષેક મા આહિર સમાજ ના વિધાથીઓ જોડાયા હતા દરેક વિદ્યાર્થીએ શ્રી નીલંકઠવરણી મહારાજ ( ભગવાન શ્રી સ્વામિનારાયણ ) નો નર્મદા ના જળ થી અભિષેક કયો હતો સાથે જ ઈચિછત જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા પ્રભુને પ્રાર્થના કરી હતી. આ દિવ્ય અને ભવ્ય કાયકમ મહંત સ્વામીની પ્રેરણાથી સાધુ અનિદૈશદાસ( કોઠારી સ્વામી) ની ઉપસ્થિતિમાં કાયકમ યોજાયો હતો જેમાં આહિર સમાજ ના મહામંત્રી શ્રી ડાહ્યાભાઈ તવરા તથા આહિર સમાજ ના આગેવાનો ભરત ભાઈ ઝાડેશ્વર . હસમુખ ભાઈ તવરા. લાલા ભાઇ ઝઘડિયા જેવો પણ આહિર સમાજ ના બારકો ને આશીર્વાદ આપ્યા હતા કે આ બારકો ઉચ્ચ પરિણામ લાવી સમાજ નુ તથા તેમના માતા . પિતા નુ નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ…

ProudOfGujarat

વડોદરા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિન નિમિત્તે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!