Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનાં સમારકામના પગલે બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવતા એક વડોદરા તરફ જતો માર્ગ ચાર દિવસ માટે NHAI દ્વારા બંધ કરવામાં આવતા બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત રહ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા હાઈવેની મુલાકાત લેતા વરેડિયાથી નબીપુર સુધી અને તેનાથી પણ આગળ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાલેજથી બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સમારકામના પગલે માર્ગ એક તરફનો બંધ કરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા અને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ProudOfGujarat

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

ProudOfGujarat

સબરસની કમાણી પાંજરાપોળ માં દાન આપવાનો નિર્ણય કરતા ત્રણ કિશોરો જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!