Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠયા.

Share

રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા મહિના રાબીઉલ અવ્વલની પહેલી તારીખથી કરાય છે. આ પર્વની તડામાર તૈયારીઓના ભાગરૂપે ગામના તમામ ધાર્મિક સ્થળો, ગામના તમામ મુખ્ય માર્ગો અને દરેક ગલી મહોલ્લા રંગબેરંગી લાઈના શણગાર સાથે રવિવારનો જાણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા હોય. આ તમામ સજાવટ નબીપુર ગામની યુવા લાઈટ ડેકોરેશન કમિટી અને ગામના ઉત્સાહી યુવાનો એ કરી છે. આ પર્વના દિવસે સમસ્ત ગામના સહયોગથી સવારે મિલાદુન્નબીની યાદમાં ગામમાં જુલુસનું આયોજન કરાયું છે અને ત્યારબાદ નિયાઝનું આયોજન કરાયું છે. આ પર્વમાં એકતા અને ભાઈચારો જળવાય તેની સંપૂર્ણ તકેદારી રખાશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે.

ProudOfGujarat

ભરૂચ કસક ગળનાળામાં લકઝરી બસ પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો, ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો

ProudOfGujarat

રાજપીપળા : સી પ્લેનના ભાડા પેટે રૂ. ૪૭ લાખ ચુકવવા દેવાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!