Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં સોખડાથી નવો સ્ટાફ મૂકી દેવાતા વિવાદ, વિદ્યાર્થીનીઓને લેવા વાલીઓએ દોડ મૂકી.

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સર્વનમન વિદ્યામંદિર આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, આ રેસિડેન્સીલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ રડતા થતા જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. 17 વર્ષથી ફરજ બજાવતી સાધ્વી બહેનોને બદલવા સામે 450 વિદ્યાર્થીનીઓ પરીક્ષા ટાણે જ શાળા છોડવા મજબૂર બન્યા છે.

અચાનક વિદ્યામંદિરમાં અભ્યાસ લેતા વિદ્યાર્થીઓએ પરિવારજનોને રડતા મોઢે ફોન કોલ કરી વિદ્યા મંદિરમાં ઉભા થયેલા વિવાદ અંગેની જાણકારી આપતા જ રાજ્યભરમાંથી વાલીઓએ વિદ્યા મંદિર ખાતે આવવા માટેની દોડ મૂકી હતી, તેમજ મેનેજમેન્ટ સાથે ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવતા આખરે સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

Advertisement

વિદ્યાર્થીઓએ સાધ્વી બહેનોની બદલીનો વિરોધ કર્યો હતો, તેમજ નવા સ્ટાફની એન્ટ્રી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો જે બાદ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચાઓ કરી યોગ્ય બાંહેધરી આપતા અંતે મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

રાજકોટના ભુવાણા નજીક વહેલી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક-યુવતીનું મોત

ProudOfGujarat

શહેરાના પીઆઈ હસમુખ સિસારાની બદલી એકાએક અમદાવાદ ખાતે થતા પ્રજામાં અને સોશિયલ મિડિયામાં ગણગણાટ

ProudOfGujarat

વલસાડ નજીક નેશનલ હાઇવે પર એક કન્ટેનરે મારી પલ્ટી -ટ્રાફિક જામ સર્જાતા પોલીસ થઇ દોડતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!