Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન ખાતે એસ.પી ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર યોજાયો.

Share

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ મથકે ગત સાંજના સમયે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં શહેરના એ અને બી ડિવિઝન પોલીસ મથકોની હદમાં આવતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરાઈ હતી.

લોક દરબારમાં શહેરના અગ્રણીઓ સહિત સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉપસ્થિત ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં ટ્રાફિકને અડચણ રૂપી સમસ્યાઓ, રોડ પરના ગેરકાયદે દબાણ, અસામાજિક પ્રવૃતિઓ બાબતે ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી, ત્યારે લોક દરબારમાં પૂછાયેલ પ્રશ્નોના ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વહેલીતકે હલ કરવામાં આવશે એવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, ભરૂચ એ ડિવિઝન પી આઈ, બી ડિવિઝન પી આઈ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, નગર સેવકો સહિત સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં વિવિધ પ્રશ્નો અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

રાજપીપળા : સાગબારા અને દેડીયાપાડામાં કોરોનાનાં કેસો વધતા સાંસદ મનસુખ વસાવાએ બેઠક યોજી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે “સમર સ્કીલ વર્કશોપ – ૨૦૨૩” ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

એ.પી.એમ.સી.નાં મોસાલી સબયાર્ડ ખાતે આગામી તારીખ ૩૧ મી માર્ચનાં મંગળવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન શાકભાજી અને ફ્રુટ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવનાર છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!