Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે રૂબરૂ મુલાકાત કરાવી હતી જેમાં યુપીએલ યુનિવર્સિટીના રજીસ્ટર ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી તેમની કારકિર્દીના યોગ્ય અને ઉજળા ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ યુપીએલ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ કોર્સ કોર્સની માહિતી પૂરી પાડી હતી અને યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીની વિઝીટ કરાવી હતી. આ તમામ કાર્યક્રમ માટે ધર્મેશ પટેલ, વાઈસ કાઉન્સિલર સાહેબ તેમજ અન્ય સ્ટાફ ગણે જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, ઈશા મેવાડા, નીતાબેન બારસાગવાલા, વૈશાલીબેન ચંદેલ, અમિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત વસો તાલુકાના રૂણ ગામ ખાતે કલેકટર દ્વારા શિલાફલકમનું કરાયું લોકાર્પણ

ProudOfGujarat

સુરતનો ચેપ નર્મદા જિલ્લામાં તથા રાજપીપળામાં ફેલાયો હોવાની દહેશતનાં પગલે જિલ્લા કલેકટરે તાત્કાલિક મીટીંગ બોલાવી એક્શન પ્લાન તૈયાર કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતેનાં લિગ્નાઇટ પ્રોજેકટમાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડુબી ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!