Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે રૂબરૂ મુલાકાત કરાવી હતી જેમાં યુપીએલ યુનિવર્સિટીના રજીસ્ટર ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી તેમની કારકિર્દીના યોગ્ય અને ઉજળા ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ યુપીએલ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ કોર્સ કોર્સની માહિતી પૂરી પાડી હતી અને યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીની વિઝીટ કરાવી હતી. આ તમામ કાર્યક્રમ માટે ધર્મેશ પટેલ, વાઈસ કાઉન્સિલર સાહેબ તેમજ અન્ય સ્ટાફ ગણે જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, ઈશા મેવાડા, નીતાબેન બારસાગવાલા, વૈશાલીબેન ચંદેલ, અમિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંભેટાની ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપની સાથે કર્મીઓના પ્રતિક ઉપવાસ…

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!