Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પ્રાચીન નિલકંઠ મહાદેવની ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળી.

Share

શ્રાવણ માસના અંતિમ દિવસો નિમિત્તે ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત પૌરાણીક નિલકંઠ મહાદેવની પરંપરાગત પાલખી શોભાયાત્રા નીકળી હતી.

શ્રાવણના અંતિમ દિવસોના સમય દરમિયાન ધાર્મિક ઉત્સવોની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચના અતિ પૌરાણિક નિલકંઠ મહાદેવની પાલખી શોભાયાત્રા શ્રાવણ વદ, ચૌદસના રોજ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળી હતી જેમાં ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત પરિવારજનો બમ બમ ભોલેના નાદ સાથે જોડાયા હતા.

પાલખી શોભાયાત્રા રિલાયન્સ મોલ પાસેથી, કલામંદિર જવેલર્સ થઇને નિલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરે જઇ ત્યાં ભજન, ધૂન આરતી કરીને ફરી શ્રી નિલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં મંદિરના પ્રાંગણમાં પહોંચી હતી. જ્યાં એકલિંગજી મહાદેવના પંકજભાઈ પંડ્યાના હસ્તે “સંધ્યા આરતી” સાથે પાલખી શોભાયાત્રાનું સમાપન થયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઓટો રીક્ષા સ્ટેન્ડ ન ફાળવાતા જય ભારત ઓટો રિક્ષા એસોશીએશનના પમુખે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની રેઇડ દરમિયાન વરલી મટકાનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

વાંકલ ગામે ૮૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!