Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પ્રાચીન નિલકંઠ મહાદેવની ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળી.

Share

શ્રાવણ માસના અંતિમ દિવસો નિમિત્તે ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત પૌરાણીક નિલકંઠ મહાદેવની પરંપરાગત પાલખી શોભાયાત્રા નીકળી હતી.

શ્રાવણના અંતિમ દિવસોના સમય દરમિયાન ધાર્મિક ઉત્સવોની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચના અતિ પૌરાણિક નિલકંઠ મહાદેવની પાલખી શોભાયાત્રા શ્રાવણ વદ, ચૌદસના રોજ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળી હતી જેમાં ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત પરિવારજનો બમ બમ ભોલેના નાદ સાથે જોડાયા હતા.

પાલખી શોભાયાત્રા રિલાયન્સ મોલ પાસેથી, કલામંદિર જવેલર્સ થઇને નિલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરે જઇ ત્યાં ભજન, ધૂન આરતી કરીને ફરી શ્રી નિલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં મંદિરના પ્રાંગણમાં પહોંચી હતી. જ્યાં એકલિંગજી મહાદેવના પંકજભાઈ પંડ્યાના હસ્તે “સંધ્યા આરતી” સાથે પાલખી શોભાયાત્રાનું સમાપન થયું હતું.

Advertisement

Share

Related posts

છોટા ઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં ૧૦ જેટલા બુટલેગરો દ્વારા ચલાવતી દેશી દારૂની ભટ્ટીઓ બંધ કરવાની લેખિત ફરિયાદ જીલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે.

ProudOfGujarat

સુરતમાં ગીર સોમનાથના વિવાનને sma નામની બીમારી : સમતા સૈનિક દળ દ્વારા વિવાન માટે ફંડ એકત્ર કરી 1 લાખ 25 હજારનો ચેક એનાયત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!