Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

Share

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

ભરૂચ જિલ્લા માં હાલ લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છૅ, તેવામાં રાજકીય પારો પણ ગરમા ગર્મી ભર્યો બન્યો છૅ, આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસ માં જનરલ સૈકેટરી સંદીપભાઈ માંગરોલા એ ભરૂચ પોલીસ મથક ના પી આઈ ભરવાડ અને તેઓના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છૅ,

Advertisement

સંદીપ માંગરોલા દ્વારા અપાયેલ અરજી માં જણાવવા માં આવ્યું છૅ કે તેઓ તેમજ તેઓના સાથી મિત્ર વિરપાલ સીંહ અટોદરીયા આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી ચૂંટણી નું કામ પટાવી ઘરે પરત ફરી રહ્યા હતા,

દરમ્યાન માં ભોલાવ નજીક આવેલ ટી સ્ટોલ પાસે પી આઈ ભરવાડ સહિત ના સ્ટાફ ના માણસો એ તેઓની કાર ને અટકાવી હતી જે બાદ કાર માં બેઠેલા વિરપાલ સીંહ અટોદરીયા ને કોલર પકડી પીઆઇ અને સ્ટાફ ના માણસો એ બાહર કાઢી ધોલ ઢાપડ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા,તેમજ મોબાઈલ ફોન પણ ઝુટવી લીધો હતો,

આ બાદ તેઓની રાત્રી દરમ્યાન એસ, પી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેઓને ગેરકાયદેસર રીતે અટકાયત કરી રાખવા માં આવ્યા હતા, જેને લઈ સંદીપભાઈ માંગરોલા દ્વારા સમગ્ર મામલા અંગે ચૂંટણી માં માહોલ બગાડવા નો પ્રયાસ તેમજ લૂંટ જેવી ફરિયાદ દાખલ કરવા અંગેની એક અરજી સ્વરૂપે રજુઆત કરવામાં આવી છૅ


Share

Related posts

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે SBI નું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં મોતને ભેટેલા દર્દીઓની સહાય માટે કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!