Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ માંગરોળના આંકડોદ ગામે કહેર વરતાવી ગયું

Share

વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ માંગરોળના આંકડોદ ગામે કહેર વરતાવી ગયું

આંકડોદ ગામના નવી નગરીમાં પતરાનો સેડનાં પતરા ઉડી પડોશીના પતરા પર પડતા તેના પણ પતરા ફૂટ્યા જયારે ભવાની ફળિયામાં પણ મકાનના પતરા ઉડ્યા

Advertisement

સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા બેલગામ બન્યા છે. તેમાંય ઉમરપાડા અને માંગરોળ વિસ્તારમાં સતત વીજળીના કડાકા ભડાકા સાથે મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે રવિવાર ની બપોરે અચાનક પવન સાથે આવેલા વરસાદે વાવઝોડાનું સ્વરૂપ ધારણ કરી માંગરોળનાં આંકડોદ ગામને થોડા સમય બાનમાં લીધું હતું જેમાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાનાં કારણે પતરાના સેડનાં પતરા ઉડ્યા હતા જેમાં અન્ય મકાન પર પતરા પડતા પડોશીઓને પણ નુકશાન થયું હતું જયારે ભવાની ફળિયામાં પણ મકાનના પતરા ઉડતા આદિવાસી પરિવાર છત વગરના થઇ ગયા હતા.

ઘટનાની મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના આંકડોદ ગામે રવિવારની બપોરે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદ અચાનક વાવાઝોડામાં ફેરવાઈ જતા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે તીવ્ર પવનના કારણે નવી નગરીમાં રહેતા મોહમદ રિયાઝ ગુલામ કાઝીનાં પતરાનો સેડ તહસનહસ થઇ ગયો હતો અને પતરા ઉડી પડોશીના મકાન પર પડતા અન્ય લોકોના ઘરના પતરા પણ ફૂટ્યા હતા. જયારે ભવાની ફળીયામાં રહેતા મોતિયા ભાઈ વસાવાનાં ઘરના પતરા પણ ઉડી જતા આદિવાસી પરિવારનેં પણ નુકશાન થવા પામ્યું હતું

ત્યારે સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વાવાઝોડાનાં કારણે જે નુકશાન ગ્રામજનોનેં થયું છે તેનું સર્વે કરી નુકશાનીનું અસરગ્રસ્તોનેં સહાય આપવી જોઈએ


Share

Related posts

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

વિરમગામ નજીક ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાની વીરપુર વીડ મા ગંદકી અને અવ્યવસ્થા વચ્ચે અનેક મુંગાપશુઓ મરણપથારીએ….

ProudOfGujarat

ભરૂચમાંથી અપહરણ કરાયેલા શખ્સને દાહોદથી બચાવાયો : બે ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!