Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય આવી ચુક્યો છે : ડો.તોગડીયા

Share

બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય આવી ચુક્યો છે : ડો.તોગડીયા

તા.2 જાન્યુઆરી, સુરત : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ પ્રયાગરાજ મહાકુંભના ઉપલખયમા આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. દેશ અને વિદેશમાં હિન્દૂ સમાજની સ્થિતિ વિષે તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. હાલમાં જ બાંગ્લાદેશ ખાતે કરવામાં આવેલા હિન્દૂ સમાજ પર કરવામાં આવેલા અધમ હુમલાઓ વિષે કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ હવે બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું હતું.
આગામી 14મી જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે શરૂ થનારા મહાકુંભ પર્વમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા તીર્થયાત્રીઓ માટે કરવામાં આવનારી સેવાઓના સંદર્ભમાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે 15 સ્થાનો પર 1 કરોડથી વધુ યાત્રિકો માટે ભોજન, પ્રતિ દિન 1થી 1.5 લાખ યાત્રિકો માટે ચા ની સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. 1 લાખથી વધુ ગરમ ધાબળાઓ માટે કંબલ બેંક, 500 સ્થાન પર મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ , 100 સ્થાનો પર ગરમ પાણીની સેવાઓ યાત્રિકો માટે પુરી પાડવામાં આવશે.
વેળુમાં ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આંતર રાષ્ટ્રીય પરિષદ દ્વારા દેશના પ્રત્યેક ગામડે – ગામડે તેમજ શહેરોમાં ગલીએ ગલીએ હનુમાન ચાલીસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે તેમજ આ કેન્દ્રો પર દર શનિવારે સામુહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. આ કેન્દ્રોના માધ્યમથી ત્યાં રહેતા આસપાસના સો, બસ્સો કે પાંચસો હિન્દૂ કુટુંબોના સવાઁગીણ વિકાસ તેમજ સુરક્ષા કરવામાં આવશે. આ દેશમાં હિન્દુઓની બહુમતી જળવાઈ રહે તે માટે કાયદા દ્વારા અને જરૂર પડે તો દંડા દ્વારા પણ કામગીરી કરવામાં આવશે.
ઉપરોક્ત પત્રકાર પરિષદમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સુરત મહાનગરના ઉપાધ્યક્ષ જોગેન્દ્રભાઈ સહાની, વર્ષોથી હિન્દૂ સમાજની સેવામાં કાર્યરત ગઢડાના વાલેરાભાઈ , વિવિધ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

Advertisement

…સુરત


Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ ગોલ્ડન પામ વિલાના એક મકાનમાં લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!