Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલ્વે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત…

Share

પાલેજ.

 

Advertisement

ભરૂચ રેલવે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરીદાસ નથ્થુલાલ નાયર ઉ.વ.૬૯ રહે. રખડતો-ભટકતોવાળાને ગત તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ક.૧૧/૪૯ વાગ્યે ભરૂચ રેલ્વે સ્ટેશન પ્લે.નં.૦૩ ના દક્ષીણ છેડે બિમાર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ દાખલ કરવામાં આવ્યા હતા.

જે પુરૂષને ફરજ પરના ડો શ્રી.નંદસરનાઓએ તા.૨૪/૦૩/૨૦૨૫ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મરણ જાહેર કર્યા હતા. જે મરણ જનારના કોઈ વાલી વારસદાર મળી આવ્યા નથી.મરણ જનાર પાતળા બાંધાનો, ઉચાઈ-૫Xપ, રંગે ઘઉં વર્ણનો, સફેદ રંગનું ઉભી લાઇનવાળું અડધીબાંયનું શર્ટ તથા કમરમાં કાળા રંગનો પેન્ટ પહેરેલ છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ સ્નેહલ બેને તપાસ હાથ ધરી છે. મરણ જનારના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે…

 


Share

Related posts

मिका सिंह, गुरु रंधावा, अपारशक्ति खुराना और रमित संधू भारत को नंबर वन बनाने के लिए भूषण कुमार के समर्थन में आये आगे!

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલ હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા પાઠવાયેલી નોટીસ બાબતે રોડ પ્રોજેક્ટર અધિકારીને હોટલ સંચાલકો દ્વારા રજુઆત કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!