વાંકલ
દરવર્ષે ૨૫ એપ્રિલ કે જે વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા મેલેરીયા અધીકારી ડો.પ્રશાંત શેલર ની સૂચના અનુસાર માંગરોળ ના તાલુકા આરોગ્ય અધીકારી ડો.સમીર ચૌધરી તેમજ પ્રાથમિક આરોગ્ય મંદિર વાંકલ ના ડો.રાદડિયા વેરાકુઈ ના મેડિકલ ઓફિસર ડો.સોનીયા પાધી ના માર્ગદર્શન હેઠળ
.સંકેત પટેલ મેમોરીયલ નર્સિંગ કોલેજ ના તાલીમર્થીઓ માટે મેલેરીયા નાબૂદી અંગે સેમિનાર નું આયોજન વાંકલ અને વેરાકુઈ ખાતે કરવામાં આવ્યું. વાંકલ ખાતે ડો. રાદડિયા એ મેલેરિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈના
સુપરવાઈઝર મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા તમામ તાલીમર્થી તેમજ ગ્રામજનો ને મેલેરીયા રોગના લક્ષણો નિદાન અને સારવાર તેમજ રોગ નો ફેલાવો કઈ રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.
Advertisement
