ભરૂચ.
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવ્યાં હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સ્વ. રાજીવ ગાંધીને ડીજીટલ ક્રાંતિના પ્રણેતા પણ માનવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત શ્રધ્ધાજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના સભ્ય હમેન્દ્ર કોઠીવાલા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્વ. રાજીવ ગાંધીની તસવીરને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી.
