Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા અજાણ્યા યુવકનું મોત

Share

વરેડિયા અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે બનેલી ઘટના

પાલેજ :- ભરૂચના વરેડિયા અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે એક અજાણ્યા યુવકનું ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 45 ના આશારાનો ગત તારીખ 7/06/25 ના રોજ વરેડિયાં અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે વચ્ચે અપ લાઈન ઉપર ટ્રેન નંબર 19218 સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાંથી ચાલુ ટ્રેનમાંથી મુસાફરી કરતા અકસ્માતે પડી જતા માથામાં તેમજ શરીરે ઉપર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના એ એસ આઇ રેમશભાઇએ કાયદેસર કાર્યવાહી કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ વ્હારે આવી.

ProudOfGujarat

અભિનેત્રી સીરતે તેના તાજેતરના ફોટોશૂટમાંથી એક અદભુત Behind the seen વિડિઓ શેર કર્યો

ProudOfGujarat

ભરૂચ તાલુકાના સેગવા ગ્રામ પંચાયત અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!