ભરૂચના ઘીકોડિયા ખાતે રાત્રે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટ સામે આવેલાં ઘી કોડિયા વિસ્તારમાં રહેતાં મિહીર ભુપેન્દ્ર પટેલ તેમજ તેના પિતા-માતા બે બહેનો અને દાદી ઘરે સાથે રહેતાં હતા. દરમિયાનમાં ગત 19મીની રાત્રે તેઓ તેમના ઘરે રાત્રીના સાડાબારેક વાગ્યે સુઇ ગયાં હતાં. જે બાદ બીજા દિવસે સવારે સાડા સાતેક વાગ્યે તેઓ જાગતાં તેમની તિજોરીનો દરવાજો ખુલ્લો હોવાનું જણાતાં તેમણે કબાટમાં તપાસ કરતાં તેમાંથી સોના-ચાંદીના સોનાના દાગીના તેમજ રોકડા 23 હજાર મળી કુલ 3.60 લાખથી વધુની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
