ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે અમી લેબોરેટરીની ગલીમાં ઘટના બની
ભરૂચ.
નર્મદા નગર જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં ગજાનંદ ઝગડું વિશ્વકર્મા મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાં તેઓ ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે કડિયાકામની મજૂરી કતાં છુટક મજુર લેવા માટે ઘરેથી નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે આવેલાં અમી લેબોરેટરી પાસેની ગલીમાં આવતાં ત્યાં એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ધસી આવી તેમની બાઇકને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માટે 108ની મદદથી ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
