ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના ગુજરાત દક્ષિણ ઝોનના પ્રભારી રામભાઇ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશભાઇ હિરપરા, ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યાં હતાં. આગામી ચૂંટણીને લઇને ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે ભરૂચ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર કમલેશભાઈ મળીવાલા સહિત વાગરા વિધાનસભાના આગેવાનો મળી કુલ 20 થી 25 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
Advertisement
