વાંકલ
માંગરોળ તાલુકામાં જી.આઈ.પી.સી.એલ,નાનીનરોલી ખાતે આવેલ ભારતીય વિદ્યા ભવન્સ માં જન્માષ્ટમીની ભક્તિભરી ઉજવણી કરાય. નાના કૃષ્ણ-રાધાના નૃત્ય, મટકી ફોડ અને મોરના આગમનથી ખુશીનો માહોલ.શાળામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી આનંદ અને ભક્તિથી થઈ.નાના બાળકો કૃષ્ણ-રાધા વેશભૂષામાં મનોહર નૃત્ય લઈને આવ્યા, જ્યારે વરિષ્ઠોએ ભવ્યનૃત્ય અને કૃષ્ણજીના જીવન પ્રસંગો પર સંગીતમય કૃતિ રજૂ કરી હતી.
મોરના આગમનથી સૌ આનંદિત થઈ ગયા હતા.પરંપરાગત મટકી ફોડથી ઉત્સવ ચરમસીમાએ પહોંચ્યો હતો. સમૂહ આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. આચાર્યએ પ્રેમ, દયા અને સત્યના ઉપદેશોને જીવનમાં અપનાવવાનો સંદેશ
આપ્યો હતો.
Advertisement
